મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. મગફળી ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. મગફળી શિયાળાના આ મોસમના આનંદને બમણો કરી નાખે છે. મગફળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડાંમાં પણ નથી હોતું. મગફળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે.
એક લિટર દૂધમાંથી આપણને જેટલું પ્રોટીન મળે છે, તે આપણે ફક્ત 100 ગ્રામ મગફળીમાંથી મેળવી શકીએ છીએ. પૌવા, કટલેટ અને ચટણીથી લઈને તમામ ખાદ્ય વાનગીઓનો સ્વાદ વધારતી મગફળી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે, કદાચ તમને તેની જાણકારી નહી હોય. નિષ્ણાતોના મતે મગફળીમાં 25 ટકાથી વધુ પ્રોટીન હોય છે.
જે લોકોને પાચનમાં તકલીફ હોય છે, તેઓને મગફળી ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે. પરંતુ અહીં, અમે જે રીતે મગફળી ખાવાની વાત કરી રહ્યા છીએ, તેનાંથી તમને ગેસની તકલીફ નહીં થાય. જાણો મગફળી કઈ રીતે ખાવી જોઈએ.
મગફળીને ખનિજો અને વિટામિનનો ખજાનો માનવામાં આવે છે. જો તમે ખૂબ મોંઘા ડ્રાયફ્રૂટ્સ ન ખાઈ શકો તો મગફળીનું સેવન કરો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તમે 250 ગ્રામ માંસ કરતાં પણ 250 ગ્રામ મગફળીમાં વધારે ખનિજો અને વિટામિન્સની માત્રા મેળવી શકો છો. તો પછી ઇંડા અને દૂધનું પ્રોટીન તો મગફળી ચોક્કસ આપી શકે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે મગફળી ખાય છે, તો તેના શરીરને દૂધ, બદામ અને ઘીના પોષક તત્વો પણ મળી રહે છે.
કમર અને સાંધાના દુખાવામાં રાહત:- મગફળીમાં ઘણા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ વગેરેમાં જોવા મળે છે. જો શિયાળામાં મગફળીને ગોળની સાથે ખાવામાં આવે, તો પછી પીઠના દુખાવાની સમસ્યા દૂર થશે. તેમજ કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે.
ગરીબોની બદામ છે મગફળી:- મગફળીને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે કારણ કે તે મગજને શક્તિ આપે છે અને યાદશક્તિ વધારે છે. ઉપરાંત, મગફળી બદામ જેટલી મોંઘી પણ હોતી નથી. તેને ખાવાથી આંખોની રોશની સારી થાય છે. ઉર્જા અને સ્ફૂર્તિ આવે છે.
રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે:- તેમાં હાજર એન્ટીઓકિસડેન્ટ્સ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે. મગફળીના સેવનથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આની મદદથી તમે ડાયાબિટીઝ જેવા રોગોથી સુરક્ષિત રહી શકો છો.
મગફળી ને ખાવ આ રીતે:- જો તમારે મગફળીનો પુરેપૂરો લાભ લેવો હોય તો તેને પલાળીને ખાઈ શકો છો. મગફળીનો ઉપયોગ હંમેશાં તેની ગરમ તાસીરને કારણે શિયાળામાં જ કરવામાં આવે છે, પરંતુ મગફળી પલાળીને ખાઈ શકાય છે. દરરોજ ખાલી પેટે પચાસ ગ્રામ મગફળી ખાવી. આ પછી, લગભગ એક કલાક સુધી કંઈપણ ન ખાવું. આ આરોગ્યની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. મગફળી પલાળીને ખાવાથી પાચનમાં સુધારો થાય છે, જેથી ગેસ અને એસિડિટીની સમસ્યા થતી નથી. તેને ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે અને લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…