આપણે બધા જાણીએ છીએ કે દરેક હિન્દુ ધર્મમાં ના લોકો એક પંડિત છે, જ્યાં ઘણા મોટા મોટા વિદ્વાનો આવેલા છે, તો બીજી બાજુ હિન્દૂ ધર્મના ઘણા લોકો એવા પણ હોય છે જે તેના તર્કને સાબિત કરવામાં નિષ્ણાત હોય છે. એટલું જ નહીં તે આપણા ઘણા સનાતન ધર્મ ઉપર પણ ઘણું ધ્યાન આપતા હોય છે. આવો જ એક નિયમ છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે. ઘણા લોકો હિન્દુ ધર્મને સનાતન ધર્મથી અલગ માને છે. તેઓ કહે છે કે વિદેશી લોકોએ સનાતન ધર્મને હિન્દુ નામ આપ્યું હતું.

કેટલાક લોકો કહે છે કે ના, પહેલાં તેનું નામ વૈદિક ધર્મ હતું. જો કે, આ અંગે વિદ્વાનોના પણ વિવિધ મત છે. સાથે સાથે હિન્દૂ ધર્મમાં ઘણાં એવા નિયમો અને રિવાજો છે જેને લોકો વર્ષોથી પાલન કરતા આવ્યા છે. આપ સૌ જાણતા જ હશો કે આપણા હિન્દુ ધર્મમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કારમાં જોડાવવું અને અગ્નિ સંસ્કાર સમયે હાજર રહેવાથી વ્યક્તિને થોડા સમય માટે પણ એક સત્યની ભાવના મળતી હોય છે.
આ પછી ઘણા લોકોને એક પ્રશ્ન ઉત્પ્ન્ન થતું હશે કે “જ્યારે કોઈ સ્મશાનગૃહમાં જવાથી આપણને આધ્યાત્મિક લાભ થાય છે, તો પછી ત્યાંથી પાછા આવ્યા પછી તુરંત નહાવાની જરૂર શું છે?” ફક્ત આ જ નહીં, પરંતુ આવા ઘણા પ્રશ્નો છે, જે મોટાભાગના લોકો ને ચોક્કસપણે દેખાયું હશે પરંતુ તેની પાછળનું કારણ કોઈ જાણતું નહીં હોય, તેથી આજે અમે તમને આ વિશે કહેવા જઇ રહ્યા છીએ.

સૌ પ્રથમ આપણે ધાર્મિક કારણ વિશે વાત કરીએ તો, સ્મશાનગૃહ પર નિરંતર દેહદાન જેવું કાર્ય ચાલુ રહેતું હોય છે, જેથી ત્યાંના વાતાવરણમાં વધારે પ્રમાણમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય છે, એટલું જ નહીં, તે એક એવી જગ્યા પણ છે કે જે નબળા મનોબળ વાળા વ્યક્તિ ને વધારેને વધારે હાનિ પોંહચાડે છે. આ સિવાય આપણે એ પણ જણાવી દઈએ કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ભાવનાશીલ હોય છે, તેથી તેમને સ્મશાનમાં જવાની ના પાડવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, અગ્નિ સંસ્કાર પછી મૃત આત્માના સૂક્ષ્મ શરીર થોડા સમય માટે તે જગ્યાએજ રહેતું હોય છે, જે તેની પ્રકૃતિ પ્રમાણે નુકસાનકારક અસર પણ કરી શકે છે.
હવે વાત કરીએ વૈજ્ઞાનિક કારણોની તો અંતિમ સંસ્કાર પહેલાં જ તે મૃત શરીર સૂક્ષ્મ અને ચેપી પરમાણુ – સૂક્ષ્મજંતુઓથી ચેપગ્રસ્ત થઈ જાય છે. એટલું જ નહીં તે મૃત વ્યક્તિ કદાચ કોઈ ચેપી રોગથી પણ પીડાઈ રહ્યો હોય શકે છે. જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકો ઉપર કેટલાક ચેપી રોગની અસર થવાની સંભાવના થઇ શકે છે. સ્નાન કર્યા પછી તે ચેપી જંતુઓ વગેરે પાણીની મદદ થી આપણા શરીરથી દૂર થઇ જાય છે.

ખરેખર, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સળગતી ચિતા સામે ઉભા રહે છે, ત્યારે તેમના શરીરની નકારાત્મક ઉર્જામાં વધારો થતો હોય છે. એટલું જ નહીં, સ્મશાનમાં મંગળ અને શનિની ઘણી વધારે ઉર્જા રહેલી હોય છે, જેના કારણે આપણા શરીરની નકારાત્મક ઉર્જા પીગળી જાય છે.