આ કારણે ભગવાન શ્રી રામને પ્રિય હતા હનુમાન.

Dharma

તુલસીદાસજી સુંદરકાંડને લખતી વખતે હનુમાનજીના ગુણો પર વિચાર કરી રહ્યા હતા. તે જે ગુણ વિષે વિચારે તે બધા જ ગુણ હનુમાનજીમાં હતા. તેથી, તેઓએ હનુમાનજીની પ્રશંસા કરતી વખતે તેમને ‘સકલ ગુણ નિધાન’ કહ્યા છે.

આ સન્માન સંસ્કૃત સાહિત્યમાં ફક્ત બજરંગબલીને જ મળ્યું છે. જોકે ભગવાનના બધા સ્વરૂપો પોતામાં જ પૂર્ણ છે, પરંતુ હનુમાનજી એકમાત્ર એવું સ્વરૂપ છે જે ક્યારેય કોઈ પણ કાર્યમાં નિષ્ફળ નથી ગયા. એક સ્વામીને તેના સેવકના કામમાં સફળતાની બાંયધરી ની સિવાય બીજું જોઈએ પણ શું?

પવનપુત્ર તેમના ઘણા ગુણોને કારણે ભગવાન શ્રી રામને પ્રિય હતા. આ ગુણોમાં આપણા જીવનમાં પણ મોટા ફેરફારો લાવી શકે છે. જેમાં બહાદુરી, હિંમત અને અસરકારક વાતચીત જેવા ગુણોનો સમાવેશ થાય છે. હનુમાનના ત્રણ ગુણોના શ્રી રામ વખાણ કરે છે ,જેમાં તમામ અવરોધોને પાર કરીને લંકા પહોંચવું, માતા સીતાને પોતે રામ દૂત હોવાનો વિશ્વાસ અપાવવો અને લંકાને બાળીને ભસ્મ કરી દેવી.

‘સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા’

એક વાર સુરસા નામના રાક્ષસી સાથે તેમનું યુદ્ધ થયુ, જે રાક્ષસી દરિયાની ઉપરથી નીકળતા લોકોને ખાઈ જતી. એકવાર જ્યારે હનુમાનજીએ સુરસા રાક્ષસીથી બચવા માટે તેમના શરીરનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું, ત્યારે સુરસાએ તેનું મોં વધારે પહોળા કર્યું. આ સમયે, હનુમાનજીએ પોતાનું સ્વરૂપ નાનું કરી દીધું. અને સુરસના મોઢામાંથી અંદર જઈ બહાર નીકળી ગયા.

હનુમાનજીની આ બુદ્ધિથી સુરસા સંતુષ્ટ થઈ અને તેણે હનુમાનજીને આગળ વધવાનું કહ્યું. અર્થાત ફક્ત બળથી જ જીતી શકાતું નથી, પણ વિનમ્રતાની સાથે બુદ્ધિમત્તાથી પણ સરળ રીતે જીતી શકાય છે. હનુમાનજીની રામની પ્રત્યે અપાર શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ હતી. તેમણે રામની ગેરહાજરીમાં પણ રામના સન્માન પ્રત્યે કાળજી લીધી. રાવણની સોનાની લંકા બાળીને હનુમાનજી સીતાજીને મળવા ગયા ત્યારે સીતાજીએ તેને કહ્યું કે – ‘પુત્ર, મને અહીંથી લઈ જા.’

તેના જવાબમાં હનુમાનજીએ કહ્યું, માતા, હું તમને અહીંથી લઈ જઈ શકું છું, પણ હું તમને અહીંથી રાવણની જેમ લઈ જવા માંગતો નથી. રાવણની હત્યા કર્યા પછી જ ભગવાન રામ તમને આદર સાથે લેવા આવશે. આ ગુણોને લીધે, હનુમાનજીને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની પ્રાપ્તી થઈ છે.

રાવણની લંકાના બગીચામાં હનુમાનજી અને મેઘનાથ વચ્ચેના યુદ્ધમાં મેઘનાથે ‘બ્રહ્માસ્ત્ર’ નો ઉપયોગ કર્યો. જો હનુમાનજી ઇચ્છે, તો તે તેને તોડી શકે, પરંતુ તેમણે તેમ કર્યું નહીં, કારણ કે તેઓ પોતાનું મહત્વ ઓછું કરવા માંગતા ન હતા. આ માટે તેમણે બ્રહ્માસ્ત્રનો તીવ્ર ઘા સહન કરી લીધો. જો કે, તે જીવલેણ પણ હોઈ શકે છે. તુલસીદાસજીએ આ અંગે હનુમાનજીની માનસિકતાનું સૂક્ષ્મ ચિત્રણ કર્યું છે.

સમુદ્ર પર પુલ બનાવતી વખતે, નબળી અને વિકરાળ વાનરની સેના પાસેથી કામ કરાવવું એ પણ તેમની વિશેષ સંગઠનાત્મક ક્ષમતાની નિશાની છે. રામ-રાવણ યુદ્ધ સમયે, તેમણે સમગ્ર વાનર સૈન્યનું નેતૃત્વ કર્યું. ભગવાન રામને સુગ્રીવ અને બાલી વચ્ચેના સંઘર્ષ દરમિયાન બાલીને મારી નાખી સુગ્રીવને રાજી કરવો, કારણ કે સુગ્રીવ જ ભગવાન રામની મદદ કરી શકે તેમ હતો. આ રીતે હનુમાનજીએ તેમની ડહાપણની કુશળતા અને હોશિયારીથી સુગ્રીવ અને પ્રભુ શ્રીરામ બંનેની ક્રિયાઓને સરળ બનાવી. અહીં, હનુમાનજીના મિત્ર પ્રત્યેની ‘વફાદારી’ અને ‘આદર્શ સ્વામી ભક્તિના’ વખાણ થાય છે.

શ્રી હનુમાન, સીતાજીના સમાચારો લઈને સલામત રીતે પાછા ફર્યા, ત્યારે બધાએ તેના વખાણ કર્યા, પણ તેમણે પ્રભુ શ્રીરામને પોતાની શકિતની કોઈ કથા સંભળાવી નહીં. આ હનુમાનજીની મહાનતા હતી, જેમાં તેઓ તેમની શક્તિનો તમામ શ્રેય ભગવાન શ્રી રામના આશીર્વાદને આપી રહ્યા હતા. 

સૌથી મોટી વાત એ છે કે, જ્યારે હનુમાન દ્વારા અશક્ય કાર્યો પર વિજય મેળવવામાં આવ્યો હતો ત્યારે પણ તેણે ‘સો સબ તવ પ્રતાપ રઘુરાય’ કહીને દરેક સફળતાનો શ્રેય પોતાના સ્વામીને અર્પણ કર્યો હતો. સખત મહેનત કરવી પણ શ્રેય પ્રાપ્તિની ઇચ્છા ન રાખવી એ સેવકનો દુર્લભ ગુણ છે. આ હનુમાનના વ્યક્તિત્વનું સૌથી મોટું લક્ષણ છે.

ભગવાન રામ અને હનુમાનજીના પવિત્ર સંબંધ કોણ નથી જાણતું. રામની પ્રત્યેની ભક્તિ માટે હનુમાનજીએ આખું જીવન બલિદાન આપ્યું હતું. તેમનામાં અતુલ્ય પરાક્રમ, જ્ઞાન અને શક્તિ હોવા છતાં પણ અહંકાર નહતો. આ આદર્શો આજે આપણા પ્રકાશ સ્તભો છે, જે અસમાનતાઓથી ભરેલી દુનિયામાં આપણને માર્ગદર્શન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *