સામાન્ય જીવનમાં લોકો પીડાથી છુટકારો મેળવવા માટે ઘણીવાર પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સારવારની આ પદ્ધતિ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. આવી દવાઓને તબીબી ભાષામાં એનાલજેસિક કહેવામાં આવે છે, ચાલો જાણીએ તેનાથી થતા નુકસાન વિશે.
સામાન્ય પેઇન કિલર દવા ડિક્લોફેનાકનો ઉપયોગ હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોક જેવા મોટા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારી શકે છે. આ અંગે એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી હતી. BMJ માં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં કોઈ દવા, પેરાસીટામોલ અને અન્ય પરંપરાગત પેઇનકિલર્સ સાથે ડીક્લોફેનાકના ઉપયોગની સરખામણી કરવામાં આવી છે.
ડેનમાર્કની આર્હુસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું કે ડિક્લોફેનાક સામાન્ય વેચાણ માટે ઉપલબ્ધ ન હોવી જોઈએ અને જો તે વેચવામાં આવે તો તેના પેકેટની આગળના ભાગમાં તેના સંભવિત જોખમ વિશે વિગતો આપવામાં આવવી જોઈએ.
ડીક્લોફેનાક એ પરંપરાગત નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા છે, જેનો ઉપયોગ પીડા અને બળતરાની સારવાર માટે વિશ્વભરમાં વ્યાપકપણે થાય છે. આ સંશોધનમાં અન્ય NSAID દવાઓ અને પેરાસિટામોલનો ઉપયોગ કરતા લોકો સાથે ડિક્લોફેનાક શરૂ કરતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમની તુલના કરવામાં આવી છે.