આ છે ભારતની છેલ્લી દુકાન, અહીંથી લોકો સીધા સ્વર્ગમાં જાય છે!

Story

ભારતની છેલ્લી દુકાન ચમોલી એ ઉત્તરાખંડ રાજ્યના ચીનની સરહદે આવેલા જિલ્લાનું એક ગામ છે જેનું નામ માણા છે. આ ગામમાં ભારતની છેલ્લી દુકાન આવેલી છે. આ એક પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ પણ છે. આ દુકાનની મુલાકાત લેનાર પ્રવાસી તેની સાથે સેલ્ફી લેવાનું ભૂલતા નથી. એવું માનવામાં આવે છે કે આ દુકાન પછી સ્વર્ગમાં જવાનો માર્ગ છે.

હકીકતમાં અહીંના લોકોનું માનવું છે કે માણા ગામનો મહાભારત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. આ ગામનું જૂનું નામ મણિભદ્રપુરમ હતું. આ જગ્યાએથી પાંડવો સીધા સ્વર્ગમાં ગયા હતા.અને આ ગામના મુખ્ય રસ્તા પર એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ પર લખેલું છે કે માણા ગામ ભારતની સરહદ પર આવેલું છેલ્લું ગામ છે. ભારતની છેલ્લી દુકાન આ ગામમાં આવેલી છે.

આ દુકાન 25 વર્ષ પહેલા ચંદર સિંહ બરવાલ નામના વ્યક્તિએ ખોલી હતી. ત્યારથી આ દુકાન દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. ઉત્તરાખંડ ફરવા આવતા લોકો સૌથી પહેલા આ ગામમાં આવે છે, અને આ ગામમાં આવતા જ દુકાનમાં આવીને પહેલાતો તેમની સેલ્ફી લે છે. અને આ દુકાનમાં મળતી ચા જરૂર પીવે છે. અહીં ખૂબ જ સ્વાદિષ્ટ મેગી પણ મળે છે, જેને પ્રવાસીઓ ક્યારેય ભૂલી શકતા નથી.

જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ગામની તસવીર શેર કરી છે. તેણે આ દુકાન પાસે ઉભા રહીને ચા પીવાની અને સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શોપની તસવીર પોસ્ટ કરીને આનંદ મહિન્દ્રાએ લોકોને પૂછ્યું, ‘શું આ દેશના સૌથી આકર્ષક સેલ્ફી સ્પોટમાંથી એક નથી?’ આનંદ મહિન્દ્રાએ દુકાનના નામની પ્રશંસા કરી અને લખ્યું કે આ જગ્યાએ એક કપ ચા પીવી પણ અમૂલ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *